Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સ્વામી નારાયણ સંપ્રદાયના પૂ.યોગીજી મહારાજનાં વશંજ વિસાવદરનાં ભીખુભાઇ વસાણીની વિદાય : ઘેરો શોક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : સ્વામી નારાયણ સંપ્રદાયના પૂ યોગીજી મહારાજનાં વશંજ વિસાવદરનાં શ્રી ભીખુભાઇ અમૃતલાલ વસાણી (ઉ.વ.71)નુ તા.5નાં રોજ દુઃખદ નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

સમગ્ર પંથકમાં અનોખા "હરિભકત પરિવાર"તરીકે જાણીતું આ કુટુંબ "યોગી કુળ" તરીકે ઓળખાય છે.શ્રીજી પેઇંગ ગેસ્ટ તરીકે લોજીંગ ચલાવતા ભીખુભાઇ પોતે,તેમના પત્નિ ભારતીબેન અને પુત્ર ભાવેશ,પુત્રી કાજલ આતિથ્ય સત્કારમાં અવ્વલ..સૌને હોંશે હોંશે જમાડે અને 'ઓડકાર'નો અહેસાસ થાય ત્યારે જ સંતોષ અનુભવે..નવરાત્રિ દરમિયાન ગરબીમાં માં અંબેની આરાધના કરતા ગરબા ગવરાવવામાં લીન ભીખુભાઇને સાંભળવા-નિહાળવા સૌના પગ થંભી જતા..આવા સરળ-સહજ-ધાર્મિક સ્વભાવનાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા ભીખુભાઇ વસાણીની વિદાયથી સૌએ આંચકો અનુભવ્યો છે.તેમનુ ટેલીફોનિક બેસણું તા.તા.6નાં રોજ સાંજે 4થી 6 રાખેલ છે.ભાવેશભાઇ મો.9426986642 વિનુભાઇ મો.9426849569

(12:26 am IST)