Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

જેતપુરમાં સાડીનાં કારખાનામાં પરપ્રાંતીય મજુર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

રાશન ખાલી થઇ જતા આપઘાત કર્યાનો સાથીદાર મજૂરોનો આક્ષેપઃ અન્ય મજૂરોને વતન પરત મોકલી આપવા અથવા અન્ય કારખાનામાં વ્યવસ્થા કરવાની માગણી

તસ્વીરમાં પરપ્રાંતીય મજૂરનો લટકતો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ૬ :.. જેતપુરમાં સાડીના કારખાનામાં મજૂરી કરતા પરપ્રાંતીય યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જો કે, બનાવ અંગે સહકારીગરોમાં જુદા જુદા આક્ષેપો થઇ રહ્યા છે.

અત્રેના ધારેશ્વર જીઆઇડીસી માં આવેલ પટલ ડાઇંગમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાને આજે વહલી સવારે ઝાડ સાથે દોરડુ બાંધી ગળાફાંસો  ખાધેલ હાલતમાં મૃતદેહ લટકતો હોય આજ કારખાનામાં ઓરડીમાં રહેતા એક યુવાને આ મૃતદેહ જોતા ત મૃતદેહ તેની બાજુની ઓરડીમાં રહેતા રાજૂ મતગંજન રાજપૂત લોધી (રહે. યુ. પી.ના મજગાંવ) નો હોવાનું માલુમ પડતા તુરંત તમામને આ બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહને પી. એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે લઇ આવલ. મૃત્યુ અંગે જુદા જુદા આક્ષેપો થઇ રહ્યા હતાં. તેમાં કોઇઅ પુરતુ ખાવાનું આપતા ન હોય રાશન પુરૂ થઇ જતા કંટાળી આવુ પગલુ ભર્યાનું જણાવેલ તો કોઇએ એવો પણ આક્ષેપ કરેલકે રાજુની હત્યા કરી તેની લાશને ઝાડ સાથે ટીંગળી દેવામાં આવી છે તેથી આ લોકો એવી માંગણી કરી રહ્યા હતા કે અમોને હવે ત્યાં જવામાં બીક લાગ છે. અમારા જીવનું જોખમ છે. માટે કાં તો અમારા વતન પરત મોકલી આપો અને કાં બીજીઅન્ય કોઇ વ્યવસ્થા કરી આપો અમે ફરી વખત ત્યાં કારખાનામાં નહી જઇ.

મૃતક રાજુ પરણીત હોય તેને બે દિકરા અને બે દિકરી છે રાજુ પોતે એકલો દર વખતે અહી મજુરી કરવા આવે છે તેની પત્ની સંતાનો સાથે તેના વતનમાં રહે છે. આ વખતે છેલ્લા પાંચથી છ વર્ષ પહેલા આવેલ. બનાવની જાણ થતા ડીવાયએસપી સાગર બાગમાર, સીટી, પી.આઇ. વી. કે. પટેલ, સ્ટાફના મજનુભાઇ પનારી, પંકજસિંહ સહિતના આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

(12:55 pm IST)