Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બોટ સાથે પાકિસ્તાન દ્વારા ૩૦ ભારતીય માછીમારોનુ અપહરણ

ત્રણ તબક્કે ભારતીય માછીમારોને છોડી દેવાયા બાદ થોડા દિવસોમાં ફરી અન્ય માછીમારોનું પાક મરીન સિકયુરીટી ટીમ ઉઠાવી ગઇ

પોરબંદર તા. ૬ : પાકિસ્તાન મરીન સિકયુરીટીએ જખૌ નજીકથી ૬ બોટ સાથે ૩૦ ભારતીય માછીમારોનું અપહરણ કરીને ઉઠાવી જતા ખળખળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન મરીન સિકયુરીટીએ જખૌ નજીકથી ભારતીય જળસીમા નજીકથી ૬ બોટ સાથે ૩૦ માછીમારોનું અપહરણ કરીને ઉઠાવી જતા ભારે ચિંતા પ્રસરી છે.

અપહરણ કરાયેલ બોટ અને માછીમારો પોરબંદર પંથકના હોવાનું જાણવા મળ્યું છ.ે

થોડા દિવસો પહેલા પાકિસ્તાન જેલમાં રહેતા રપ૦ થી ૩૦૦ જેટલા માછીમારોને જેલ મુકત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરી આજે પાકિસ્તાન મરીન સિકયુરીટીએ નાપાક કૃત્ય કરીને ૩૦ ભારતીય માછીમારોને ઉઠાવીને લઇ જતા માછીમાર પરિવારમાં ચિંતા પ્રસરી છે.

(3:49 pm IST)