Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં આખો દિ' અસહ્ય ઉકળાટઃ ગારીયાધારમાં હળવુ ઝાપટુ વરસ્યું

રાજકોટ, તા., ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા હવામાન સાથે બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

ગઇકાલે ભાવનગર જીલ્લાનાં ગારીયાધાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટુ વરસ્યું હતું.

જો કે વહેલી સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીની અસર યથાવત છે.

ગારીયાધાર

ગારીયાધારઃરાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે અમુક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો. જેમાં ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલ્ટાને પગલે ભાવનગરનાં ગારીયાધાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડયું હતું.

મોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુ. અને પાકને નુકસાન થશે તે બાબતે ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળ્યા હતા. જો કે વરસાદી ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. અને લોકોએ વરસાદનો આંનદ માણ્યો હતો.

(12:33 pm IST)