Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની હત્યામાં ચાર શખ્સો રીમાન્ડ પર : અન્ય બેની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

 મોરબી, તા. ૬ : મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની હત્યામાં પકડાયેલ ૪ શખ્સોને કોર્ટે મંગળવાર સુધી રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. તેમજ પોલીસે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદને આધારે પોલીસે છ ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી  પોલીસે નવલખી ફાટક નજીકથી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે ગ્રીન ચોક, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮) રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬) રહે ત્રાજપર અને એક સગીર વયના આરોપી સહીત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ ક્રેટા કાર કબજે લીધી છે જયારે હત્યામાં વપરાયેલ અન્ય એક વરના કાર સુરેન્દ્રનગરથી કબજે લેવામા આવી છે હત્યા અંગે પોલીસમાં પાંચ આરોપી સામે નામજોગ જયારે એક અજાણ્યા ઇસમ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેમાં ઝડપાયેલ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન હત્યામાં સંડોવાયેલ ઇસમ ધ્રુવરાજસિંહ રાણા રહે વલાણ સુરેન્દ્રનગર વાળો હોવાનું ખુલ્યું છે તેમજ અન્ય એક કુમાર નામનો આરોપી એ બે આરોપી હજુ ફરાર છે જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે તો ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા મંગળવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે પોલીસે હત્યામાં વપરાયેલ બે કાર કબજે લીધી છે જયારે હત્યામાં વપરાયેલ તલવાર, છરી અને બંદુક સહિતનો મુદામાલ કબજે લેવા માટે કવાયત હાથ ધરી છે ઉપરાંત હત્યા બાદ આરોપીઓ કયાં કયાં ભાગ્યા હતા તે પણ પૂછપરછ ચલાવી છે

(12:20 pm IST)