Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જામજોધપુરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રે રસીકરણ

જામજોધપુર : સામુહિક આરોગ્ય ખાતે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જામજોધપુર ના પૂર્વ ધારાસભ્ય મોહનભાઇ વાછાણી , માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચીમનભાઈ વાછાણી તથા તેમના ધર્મપત્ની એ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી લીધી હતી. અને વાઇસ ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે સુરક્ષિત થવા દરેક નાગરીકે આ વેકસીન મુકાવી અત્યંત જરૂરી છે અને આ વેકસીનની કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તો લોકોએ ખોટી અફવાથી દુર રહી નિર્ભય બની આ વેકસીન લઈ કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:49 am IST)