Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સમગ્ર ભારતમાં તબલીગી જમાત, મરકઝ પર પ્રતિબંધ મુકો

સુન્ની મુસ્લિમ જમાત મોરબી દ્વારા માંગણી

મોરબી,તા.૬:  દેશભરમાં કોરોના ફેલાવવા માટે માનવ બોમ્બ સમાન બનેલા તબલીગી જમાતના લોકો સામે દેશભરમાં આક્રોશ છે ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તબલીગી જમાત અને મરકઝ તેમજ તેના દ્વારા સંચાલિત મદ્રેસાઓ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.

સુન્ની મુસ્લિમ જમાત મોરબી શહેર ખતીબ સૈયદ અબ્દુલરશીદ મિયા હાજી મદનીમિયા બાપુએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી. દેશભરમાં કોરોના વાયરસને ફેલાવવા માનવ બોમ્બ બનેલા દિલ્હીના તબીલીગી જમાતના મરકઝને બંધ કરી પ્રતિબંધ લગાવી જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ કરી છે હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં છે અને ભારત દેશ પણ બાકાત નથી કોરોના વાયરસ સામે લડવા નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન કર્યું છે તેમજ કોરોનાને ફેલાતો રોકવા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ દિવસરાત ફરજ બજાવે છે જેમાં સમસ્ત મોરબી સુન્ની મુસ્લિમો દ્વારા લોકડાઉનને પૂરો સાથ અને સહકાર આપવાની બાહેંધરી આપી છે

ગત તા. ૩૦ ના રોજ દિલ્હી સ્થિત તબલીગી જમાતના મરકઝમાં દેશ વિદેશના કોરોના સંક્રમણ વાળા ૨૩૦૦ થી વધુ લોકોનો જમાવડો કરી લોકોની જાનને જોખમમાં મૂકી માનવતા વિરુદ્ઘ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો ઉભો કરેલ છે અને અમાનવીય કૃત્ય પાછળ કોઈ વિદેશી મંશા તો નથી ને તે તપાસનો વિષય છે પાછલા ૧૦૦ વર્ષથી વહાબી તબલીગી જમાતનો ઈતિહાસ દેશ વિરોધી રહ્યો છે જે હિન્દુસ્તાનની આઝાદીની લડાઈમાં અંગ્રેજો સાથે હતા હાલ વિદેશથી આવતા લોકો અને વિદેશી નાણાકીય ફંડની પણ ઊંડી તપાસ થવી જોઈએ તેઓ સુન્ની, શુફી કે બરેલવી વિચારધારા જે સબકા ભલા સબકી ખૈર થી તદન વિરુદ્ઘ અને કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે કોઈપણ ધર્મની કટ્ટરપંથી વિચારધારા ધરાવતા સંગઠનો દેશની એકતા અને અખંડીતતા માટે ખતરારૂપ છે જેથી આવા સંગઠન પર તત્કાલ પ્રતિબંધ લગાવવા અને તત્કાલીન યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(1:04 pm IST)