Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ચોટીલામાં દિપમાળા પ્રજ્વલ્લિત થતા ડુંગર ઉપર અનેરૂ દ્રશ્ય સર્જાયુ

પ્રસિદ્ઘ યાત્રાધામ ચોટીલા ખાતે ગઇ કાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં દિપ જલાવો આહવાનમાં ચોટીલા ચામુંડા માતાજી ડુંગર, જલારામ મંદિર અને શહેરીજનો અને તાલુકાનાં તમામ ગામડાઓને નવ કંલાકે લાઇટો બંધ કરી દિપમાળ કરી જયોત પ્રજવલિત કરતા અનેરૂ દ્રશ્ય સર્જાયેલ હતું. ચામુંડા ડુંગરની ઉચાઇ ઉપરથી લેવાયેલ ચોટીલાની તસવીર ચોટીલા પંથકનો દિપોત્સવ થકી વિસ્તારનાં નાગરીકની કોરોના સામેની લડાઇમાં એકજુથ અને એકતાનાં દર્શન ની ગવાહી આપે છે. તેમજ પ્રસિદ્ઘ મંદિરોમાં વિશ્વ અને આપણા દેશની આ લડતમાં સૌથી ઓછી માનવજીવ હાની થાય તેવી પ્રાર્થના સાથે કરાયેલ દિપમાળનો ઝળહળાટ તમસોમાં જયોર્તિગમય રૂપી તસવીર.

(12:58 pm IST)