Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કચ્છઃ PMમાં ફંડમાં ૮ કરોડ ૪૨ લાખનું એક સાથે અનુદાન

દિન દયાળ પોર્ટ કંડલા દ્વારા પીએમ રાહત ફંડમાં કર્મચારીઓએ પણ આપ્યા વધારે ૪૨ લાખ રૂપિયા

ભુજ,તા.૬: કોરોનાની મહામારીમાં મદદરૂપ બનવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કચ્છમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિન દયાળ પોર્ટ કંડલા વતી ચેરમેન એસ.કે. મેહતાએ સામાજિક ઉત્ત્।રદાયિત્વની જવાબદારી નિભાવી સીએસઆર ફંડ માંથી વડા પ્રધાન રાહત ફંડમાં ૮ કરોડ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. પોર્ટના પ્રવકતા ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યા પ્રમાણે પોર્ટના નાના મોટા તમામ કર્મચારીઓએ પણ એક દિવસનો પગાર જમા કરાવવાનો નિર્ણય કરી ૪૨ લાખ રૂપિયા વડા પ્રધાન રાહત ફંડમાં આપ્યા છે.

આમ દિન દયાળ પોર્ટ કંડલા દ્વારા ૮ કરોડ ૪૨ લાખ રૂપિયાનું માતબર અનુદાન કોરોના માટે વડાપ્રધાન રાહત ફંડમાં જાહેર કરાયું છે. જે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીનુ સૌથી વધુ જાહેર કરાયેલ અનુદાન છે.

(11:41 am IST)