Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા છાશનું વિતરણ

ઉપલેટા: જૈન જાગૃતિ સેન્ટર દ્વારા શ્રમજીવી વિસ્તારમાં ઉનાળાના ધોમધખતા તાપમાં ૧૫૦ જેટલા પરિવારોને છાશનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઇ શેઠ, સેક્રેટરી રાજેશભાઇ કારાવડીયા કારોબારી સભ્યો બકુલભાઇ વોરા, દિપકભાઇ શેઠ સહિતનાઓ જાતે છાશ વિતરણ કરેલ હતુ અને જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઇ શેઠ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે છાશ વિતરણ રવિવાર સુધી કરાશે. છાશ વિતરણની તસ્વીર.(તસ્વીર : કે.એમ.દોશી)

(2:03 pm IST)