Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

જસદણમાં બીમારીથી કંટાળી વૃદ્ધા કોકીલાબેન શુકલાનો સળગી આપઘાતનો પ્રયાસ

વિપ્ર વૃદ્ધાને રાજકોટ ખસેડાયાઃ માનસીક ટેન્શન અને બીમારીના કારણે પગલું ભર્યુ

રાજકોટ તા.૬: જસદણમાં બીમારીના કારણે વિપ્ર વૃદ્ધાએ કેરોસીન છાંટી સળગી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ જસદણ મોટી ચોક પાસે સાંકળી શેરીમાં રહેતા કોકીલાબેન વસંતરાય શુકલા (ઉ.વ.૭૦) એ સવારે કોરોસીન છાંટી સળગી જતા દેકારો બોલતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિપ્ર વૃદ્ધાના પતિ એસ.ટી.ના નિવૃત કર્મચારી છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેણે માનસીક ટેન્શન અને બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભાઇએ પ્રાથમિક કાગળો કરી જસદણ મોકલ્યા છે.

(12:02 pm IST)