Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

જામનગરના ધનવંતરી સભાખંડમાં મતદારોએ મતદાન માટે શપથ લીધા

જામનગર, તા.૬: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૯ અન્વયે ૧૨- જામનગર સંસદીય બેઠક માટે તા.૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમુલ્ય યોગદાન આપી લોકશાહી મજબુત થાય તે હેતુથી જામનગરના ધનવંતરી સભાખંડ ખાતે ''હું અવશ્ય મતદાન કરીશ''ના શપથ લેવાના કાર્યક્રમ યોજાયેલ.

 જેમાં સરકારી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓએ આપણો મત અમૂલ્ય, હું મતદાન અવશ્ય કરીશના બેનર પર સહી કરી હતી અને મતદાનએ જ મહાદાનનો સંકલ્પ કરી 'votesapp' નામના સેલ્ફી ઝોનમાં વિદ્યાર્થીઓએ ફોટા પડાવ્યાં હતા. આ કાર્યક્રમમાં યુવાનોમાં મતદાન જાગ્રૃતિ આવે એ હેતુથી નાટકનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાન''મતદાર હોવાનો ગર્વ છે'' ના બેલ્ટ બાંધ્યાં હતા. 

આ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી અફસાના મકવા, રમત ગમત અધિકારીશ્રી નિતા વાળા, સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી અને વિશાળ સંખ્યામાં સરકારી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:54 am IST)