Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગિરનાર સ્‍પર્ધાના વિજેતાઓના ઇનામની રકમમાં વધારો

જૂનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાની સફળ રજુઆત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬: જૂનાગઢ ધારાસભ્‍યશ્રી સંજયભાઇ કોરડીયા કાર્યાલય ખાતેથી જણાવાયેલ છે કે, રાજય સરકારમાં લાંબા સમયથી થતી માંગણી, રજુઆતો અને દરખાસ્‍તો પરત્‍વે જૂનાગઢના ગિરનાર પર્વત પર યૌવન અને કૌશલ્‍યને પડકારતી એવી ગિરનાર આરોહણ -અવરોહણ સ્‍પર્ધાની બંને કેટેગરી રાજયકક્ષા તથા રાષ્‍ટ્રીયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેતા સ્‍પર્ધકોમાં વિજેતા બનતા સ્‍પર્ધકો પુરસ્‍કાર રાશીમાં વધારો કરવા માટે વિવિધ સામાજિક સંસ્‍થાઓ, વિવિધ આગેવાનશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી, વિવિધ રમત ગમત પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસ્‍થાઓ તથા વિવિધ પદાધિકારીઓ દ્વારા રજુઆતો કરવામાં આવતી હતી. અને સૌ કોઇ એ આ પુરસ્‍કાર રાશીમાં વધારો થાય તે માટે વિવિધ કક્ષાએ રજુઆતો કરેલ હતી.

વિધાનસભા ગૃહમાં આ બાબતે જૂનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા દ્વારા રજુઆત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્‍જીન સરકાર તથા રાજયની સંવેદનશીલ સરકાર દ્વારા માત્ર ૨૪ કલાકમાં સમયગાળામાં આ બાબતને ધ્‍યાને લઇ ગૃહમાં ગિરનાર આરોહણ -અવરોહણ સ્‍પર્ધામાં વિજેતા સ્‍પર્ધકોની પુરસ્‍કાર રકમમાં વધારો કરવા બાબતે રાજય સરકારે મંજુરી આપી સ્‍પર્ધકોને પ્રોત્‍સાહીત, ઉત્‍સાહીત તથા પ્રેરીત કરેલ છે.

આભને આંબવા અને ગિરનારને સર કરવા દોટ મુકતાં સ્‍પર્ધકો તથા તેના વાલીઓ આ સ્‍પર્ધાને લઇને પુરા ૧ વર્ષ સુધી મહેનત કરતા હોય છે. ત્‍યાર આજસુધી આ સ્‍પર્ધાના અંતે વિજેતાઓને મળતી ઇનામી રાશીની રકમ જુજ હતી જે રકમમાં સત્‍વરે વધારો કરવા બદલ રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજયના ગૃહ એવમ રમત -ગમત મંત્રી હર્ષભાઇ સંઘવી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, પ્રભારીમંત્રી જૂનાગઢ રાઘવજીભાઇ પટેલનો ધારાસભ્‍ય કોરડીયાએ અંતઃકરણ પૂર્વક આધાર માનેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે લાંબા સમયથી જૂનાગઢ ખાતેથી વિવિધ સામાજિક સંસ્‍થાઓ, વિવિધ રાજકિય આગેવાનો, વિવિધ રમત -ગમત પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્‍થાઓ, ભારતીય જનતા પક્ષના વિવિધ હોદેદારો, જૂનાગઢ મહાનગરના વિવિધ હોદેદારો, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી, ડે.મેયરશ્રી, સ્‍ટે.ચેરમેનશ્રી, શાસકપક્ષના નેતાશ્રી, દંડકશ્રી જૂનાગઢ પ્રેસ-મિડીયા દ્વારા પણ આ બાબતે નિર્ણય લેવા માટે રજુઆતો કરવામાં આવી છે તેઓનો પણ પુરતો સાથ-સહકાર રહ્યો છે ત્‍યારે તમામ ક્ષેત્રના આગેવાનોનો પણ આભારી માનવામાં આવે છે. આ તમામ રજુઆતોને અંતે સંવેદનશીલ નિર્ણય લઇ રમતવીરો અને સ્‍પર્ધકોની ઇનામી રાશીમાં તત્‍કાલ વધારો કરવા બદલ ધારાસભ્‍યશ્રી કોરડીયા, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી પુનિતભાઇ શર્મા તથા ટીમ, તથા મહાનગરપાલિકા-જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર તથા પદાધિકારીશ્રીઓની સમગ્ર ટીમ દ્વારા સંયુકતરૂપે આ હિતલક્ષી નિર્ણયને આવકારી રાજય સરકારને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

(2:06 pm IST)