Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ડો.અતુલભાઇ ચગ પ્રકરણમાં પૂ.જલારામ બાપા અને ભવનાથ મહાદેવને જુનાગઢમાં આવેદન

જુનાગઢઃ લોહાણા યુવા સંગઠન જુનાગઢ દ્વારા શ્રી જલારામ ભકિતધામ ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે વેરાવળના જાણીતા ડો.અતુલભાઇ ચગ આપઘાતની દુઃખદ ઘટના સંદર્ભે આખા સૌરાષ્‍ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્‍યારે હજુ સુધી ન્‍યાયીક તપાસ ચાલુ નથી થતી હવે તો ફકત શ્રી જલારામ બાપા તથા ભવનાથ મહાદેવ પર જ ભરોસો રાખવો. આ હેતુથી લોહાણા યુવા સંગઠન જુનાગઢ તથા અન્‍ય સમાજ જ્ઞાતિ જાતી ભેદભાવ વગર સર્વે સમાજ સાથે રહીને પૂ.જલારામ બાપા તથા ભવનાથ મહાદેવના ચરણોમાં આવેદન આપેલ છે તથા ડો.ચગ સાહેબની આત્‍માને શાંતિ માટે પ્રાર્થના કરેલ છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:04 pm IST)