Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કાલે જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે પુનમ ઉજવાશે ધ્‍વજારોહણ દેવોનો અભિષેક મહાપૂજા સહિતનાં આયોજનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ જવાહાર રોડ સ્‍થિત શ્રી સ્‍વામી નારાયણ મુખ્‍ય મંદિરે આવતીકાલે મંગળવારના રોજ પુનમની ઉજવણી થનાર છે.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણના હસ્‍તે આ મંદિરમાં પ્રતિષ્‍ઠિત થયેલ સિધ્‍ધેશ્વર મહાદેવ પાર્વતીજી આજે પણ લોકોની મનોકામના પુર્ણ કરે છે અને લોકો દેશ- વિદેશમાંથી શ્રધ્‍ધા પૂર્વક પુનમના દિવસે અચૂક દર્શનાર્થે આવી શિશ ઝૂકાવે છે એવા આ પ્રતાપી દેવ મહાદેવ પ્રત્‍યે લોકોને અપાર શ્રધ્‍ધા રહેલ છે આવતીકાલે પુનમ નિમિતે વહેલી સવારે મંગળા આરતી થશે.

બાદમાં મંદિરના શિખર પર નુતન ધ્‍વજા રોહણ કરાશે તેમજ દેવોનો અભિષેક મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા છે.

મંદિરના ચેરમેન દેવનંદનસ્‍વામીજી ના માર્ગદર્શન હેઠળ મહંત પ્રેમસ્‍વરૂપદાસજી તથા પી. પી. સ્‍વામી સહિતના સંતો દ્વારા ભાવિકો માટે સુંદર વ્‍યવસ્‍થા કરાઇ છે. આ અવસરે દર્શનનો લાભ લેવા સૌ હરિભકતો ભાવિકોને જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

(2:04 pm IST)