Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને પૂર્વ ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી અધિકારીઓ સાથે સમગ્ર ગારીયાધાર વિધાનસભા સીટનો પ્રવાસ કરશે

તા. ૬ થી ૧૧ માર્ચ સુધીમાં પ્રવાસ : પ્રવાસ દરમ્‍યાન પંચાયત અને મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે રહેશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને પૂર્વ ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી તા. ૬ માર્ચ સોમવારથી તા. ૧૧ માર્ચ શનિવાર સુધી સમગ્ર ગારીયાધાર વિધાનસભામાં તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્‍યાન ભાવનગર જીલ્લાના જીલ્લા પંચાયત અને મહેસુલ વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્‍થિત રહેશે અને ગ્રામજનોના પ્રશ્‍નોનુ સ્‍થળ પર જ નિરાકરણ થાય તે માટે બન્ને પદાધિકારીઓ તરફથી પ્રયત્‍નો કરવામા આવશે તેમ સાંસદ કાર્યાલયની યાદીમાં જણાવેલ છે. પ્રવાસ કાર્યક્રમમાં તા. ૬ના રોજ વેળાવદર, વિરડી, લુવારા, ગુજરડા, શિવેન્‍દ્રનગર, સાતપડા, રૂપાવટી, મોટા ચારોડીયા, તા. ૭ ના રોજ પરવડી - ૧,૨ , સુરનગર, સાડખાખરા, મોટી વાવડી, જાળીયા, માડવી, સુરનિવાસ, તા. ૮ નારોજ રાણીગામ, બેડા, ડુંગરપુર, તાતણીયા, બીલા -  ૧,૨, સરેરા, ઇટીયા, જેસર-૧,૨,૩, તા. ૧૦ના રોજ સેદરડા, બેલમપર, ગળથર, મોણપર, બગદાણા, તથા તા. ૧૧ના રોજ નાના ખુટવડા, ગુંદરણ, મોટી જાગધાર, લોગડી-લોગ્‍યા, ઓથા-આગણકાની મુલાકાત લેશે.

(2:13 pm IST)