Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સૌની યોજના અંતર્ગત બાબરા તાલુકાના ગામડાઓમાં પાણી છોડાયું

(દિપક કનૈયા દ્વારા) બાબરાઃ  લાઠી બાબરા અને દામનગર વિસ્‍તારના  ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયાએ વિકાસનો દર છેક ગાંધીનગર સુધી પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્‍યારે ટુંક સમય પહેલા જ બાબરા તાલુકામાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવાની કરેલી રજૂઆતને સફળતા મળેલ છે. બાબરા તાલુકાના ગામડાઓ માં સૌની યોજના અંતર્ગત શ્રી જનકભાઈ તળાવીયાની સૂચનાથી  બાબરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશોકભાઈ રાખોલિયા, ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તપરા, જિલ્લા પંચાયત સદસ્‍ય શ્રી હિંમત ભાઈ દેત્રોજા તેમજ આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો ની ઉપસ્‍થિતિ મા પાણી છોડવામાં આવતા નીર ના લોકો દ્રારા વધામણાં કરવામા આવ્‍યા હતાં. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા નો  આભાર વ્‍યક્‍ત કર્યો હતો

(1:39 pm IST)