Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદરમાં ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્‍તાહ

સર્વજ્ઞાતિ સ્‍વજનોના સ્‍મરણાર્થે તથા પિતૃઓના મોક્ષાર્થે આયોજન : મનોરથી માટે નામ નોંધણી

 પોરબંદર,તા.૬ : સર્વ જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ તેમજ જનજાગળતિ અર્થે શ્રી ઈન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ દ્વારા પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમળતવાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે તા.૧૩  થી ૧૯ સુધી સાંજે ૩:૩૦ થી ૭  વાગ્‍યા સુધી કરેલ છે. ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદી માટે પોરબંદર વિસ્‍તારની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

 શ્રીમદ ભાગવત સપ્તાહમાં  સર્વ જ્ઞાતિની ધર્મપ્રેમી જનતાને તેમના સ્‍વજનોના સ્‍મરણાર્થે તથા પિતળઓના મોક્ષાર્થે વ્‍યક્‍તિગત, પારિવારિક રીતે મનોરથી બનવાની આ  તક પ્રાપ્ત થયેલ છે.   વધુ માહિતી મેળવવવા  નવઘણભાઈ બી. મોઢવાડિયા - મો. ૯૮૨૫૨ ૩૧૦૪૧, કારાભાઈ કેશવાલા - મો. ૯૯૦૯૭ ૩૩૦૦૯, ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:24 pm IST)