Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

દાઉદી વ્‍હોરા સમાજના બાવનમાં દીવગંત ધર્મગુરૂની આજે ૧૦૮મી જન્‍મજયંતિ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૬: વિશ્‍વભરના લાખો દાઉદી વ્‍હોરા સમાજના દિવગંત બાવનમાં દાઇ (સર્વોચ્‍ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુલ કાઇદ જાહેર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ)ની આજે અંગ્રેજી તા.૬ માર્ચ ૧૯૧૫ મુજબ ૧૦૮મી જન્‍મજયંતિ હોવાથી લાખો દિલોમાં ધબકતા આ સિતારાને વ્‍હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે. ઇ.સ.૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાવાદી ડો. સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્‍હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી જેના કારણે સમાજ તંદુરસ્‍ત બન્‍યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળ્‍યુ તેમણે આરોગ્‍ય, શિક્ષણ, ધાર્મિકતા, ઇમાનદારી, રહેઠાણ જેવા માનવજીવનને સ્‍પર્શતા પ્રશ્‍નો અંગે પણ ખાસ ધ્‍યાન આપ્‍યુ. ખાસ કરીને તેમણે સમાજના લોકોને એક ટકનું વિનામુલ્‍યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા ૧૦ વર્ષથી વિશ્‍વના અનેક દેશોના હજારો વ્‍હોરા પરિવારોને આજે પણ ઘર બેઠા તૈયાર ભોજન મળી રહ્યુ છે આવા માનવતાવાદી સંતની આજે જન્‍મજયંતિ પ્રસંગે લાખો વ્‍હોરા અનુયાયીઓ યાદ કરશે.

(1:21 pm IST)