Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામનગરની પરીણીતા ગૂમ

જામનગર, તા., ૬: સીટી બી ડીવી. પો.સ્‍ટે. ગુમ નોંધ નં. ૧/૨૦૨૩ તા.૦૧/૦૩/૨૦૨૩ના કામે જાહેર કરનાર લાલુભા કિરીટસિંહ  સરવૈયા જાતે ગીરા  ઉ.વ.૩પ ધંધો પ્રા. નોકરી રહે.ગાંધીનગર નવા સ્‍મશાન ખોડીયાર હોલની બાજુમાં શિવદર્શન સોસાયટી વાળાની જાહેરાત મુજબ તેમના પત્‍ની સપનાબા ઉ.વ.ર૬ તા. ૧૪-ર-ર૦ર૩ના પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક ચાલ્‍યા ગયેલ હોય જે આજ દીન સુધી પરત ફરેલ નથી.

મજકુર શરીરે મધ્‍યમ બાંધાના ઘઉવર્ણના તેમજ વાળ કાળા રંગના તેમજ આખો કાળા રંગના તેમજ આંખો કાળી છે. ઉંચાઇ આશરે સાડા ચાર ફુટ છે તેને છેલ્લે લીલા કલરનો બાંધણીવાળો ડ્રેસ તથા સફેદ કલરની ચોયણી  પહેરેલ હતી અને તે ધોરણ આઠ સુધી ભણેલ છે. આ ગુમ અંગે કોઇને પતો મળે તો પોલીસ કંટ્રોલ રૂમ જામનગરને જાણ કરવા જણાવાયું છે.

(1:21 pm IST)