Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદર જિલ્લાની ૬૦ સહકારી મંડળીઓને ફડચામાં લઇ જવા માટે વચગાળાના આદેશો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. જિલ્લાની દૂધ અને મત્‍સ્‍યદ્યોગ સહિતની કુલ ૬૦ સહકારી મંડળીઓને ફડચામાં લઇ જવા માટે સહકારી મંડળીઓના  રજીસ્‍ટ્રાર દ્વારા વચગાળાનો આદેશ કરવામાં આવ્‍યા છે.

જિલ્લાની ૬૦ સહકારી મંડળીઓને ફડચામાં લઇ જવા વચગાળાનો આદેશ કરવામાં આવ્‍યો તેના કારણોમાં આ સહકારી મંડળીઓ નિયમ મુજબ ઓડીટ કરાવેલ નથી. હોદેદારોના નામ - સરનામા બદલી ગયા છતાં તેની જાણ કચેરીને કરવામાં આવી નથી. એનસીડી પોર્ટલ ઉપર માહિતી ભરી નથી. વગેરે કારણોનો સમાવેશ થાય છે.

ફડચામાં ૬૦ સહકારી મંડળીઓ આ ૬૦ સહકારી મંડળીઓમાં ૩૧ દૂધ સહકારી મંડળીઓ ૩પ મત્‍સ્‍યોદ્યોગ મંડળીઓ તથા બાકીની અન્‍ય સહકારી મંડળીઓ છે.

(1:18 pm IST)