Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબી સિરામિક ઉદ્યોગના પડતર NDFના પ્રશ્‍નોનું નિરાકરણ

મોરબી તા. ૬ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોના લાંબા સમયથી પડતર NDF ના પ્રશ્‍ને ફાઈનાન્‍સ મીનીસ્‍ટર દ્વારા યોગ્‍ય સુચના આપવામાં આવી હોય અને પડતર પ્રશ્‍નોનું નિરાકરણ થતા ઉદ્યોગકારોને રાહત થવા પામી છે.

મોરબી સિરામિક ઉદ્યોગના NDFને લગતા પ્રશ્‍નો બાબતે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગાંધીનગર ખાતે ફાઈનાન્‍સ મીનીસ્‍ટર કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા કરી હતી અને લાંબા સમયથી પડતર NDFના પ્રશ્‍નો બાબતે રજૂઆત કરતા ગાંધીનગર ઓફિસથી રાજકોટ જીએસટી ઓફિસમાં ટ્રીબ્‍યુનલ કોર્ટના ચુકાદાના આધારે જે NDF ના પેન્‍ડીંગ કેસો છે તે કેસો ચલાવી લેવા સુચના આપવામાં આવી છે અને લાંબા સમયથી પડતર પ્રશ્‍નોનું નિરાકરણ થયું હોય જેથી સિરામિક એસો દ્વારા સાંસદ અને ધારાસભ્‍યનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:16 pm IST)