Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કેશોદમાં ધુળેટી નિમિત્તે ઝુપડપટ્ટી વિસ્‍તારમાં કિટનું વિતરણ

કેશોદઃ   કેશોદના મિત્ર વર્તુળ મંડળ જે વર્ષોથી કોઈપણ તહેવાર હોય ત્‍યારે કેશોદની ઝૂંપડપટી વિસ્‍તાર અને અન્‍ય વિસ્‍તારો કે જ્‍યાં  જરૂરિયાત મંદ પરિવારો રહેતા હોય ત્‍યાં આ મિત્ર વર્તુળનાં ડો. ભીમ, પત્રકાર ભરતભાઈ કક્કડ, નિલેશભાઈ જેઠવા તેમજ આગેવાન વેપારી એસ.પી. કક્કડ જઈને તહેવારોમાં વસ્‍તુઓનું વિતરણ કરતા હોય છે. ત્‍યારે  હોળીના તહેવારને ધ્‍યાનમાં લઈને કેશોદના વિવિધ વિસ્‍તારોમાં જ્‍યાં સાવ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો રહે છે તેઓને  ધુળેટી નિમિત્તે ખજૂર દાળિયા મમરા બિસ્‍કીટ  વિ.ની કિટનું વિતરણ કરવામાં આવતા આવા પરિવારોના  બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ હતો.

(1:11 pm IST)