Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીમાં નશાની હાલતમાં એસિડ પી લેતાં સુરેશભાઇનો જીવ ગયો

આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં: ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવતાં ઝીંઝુવાડીયા પરિવારમાં અરેરાટી

રાજકોટ તા ૬: મોરબીમાં વાવડી રોડ પર ગણેશનગરમાં રહેતાં સુરેશભાઇ લાભુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૪૫) નામના આધેડે ગઇકાલે બપોરે બારેક વાગ્‍યે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેસાડાય હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી એ-ડિવીઝનમાં જાણ કરી હતી. પરિવારજને જણાવ્‍યા મુજબ સુરેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને મોરબી લાતી પ્‍લોટમાં ગાડીઓમાં માલ સામાન ચડાવવા ઉતારવાની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. નશો કરવાની આદત હોઇ ગઇકાલે નશાની હાલતમાં જ એસિડ પી લીધું હતું અને તેમનું મોત થયું હતું.

(11:54 am IST)