Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામકંડોરણા પાસે કાર ઝાડ સાથે અથડાતા બે ના મોત

કાલાવડના આણંદપરનો પરિવાર માણાવદર ક્રિયા પતાવી પરત જતો'તો : મગનભાઇ અને પ્રભાબેન રાખડીયાનો ભોગ લેવાયો : અરેરાટી

ધોરાજી-જામકંડોરણા,તા.૬ : જામકંડોરણા પાસે ધોરાજી રોડ પર દુધીવદરના પાટીયા પાસે કાર ઝાડ સાથે અથડાતા અકસ્‍માતમાં કારમાં સવાર બે ના મોત થયા  છે જયારે પાંચને ગંભીર ઈજાઓ. થયેલ છે 

કાલાવડ તાલુકાના આણંદપર ગામના દલિત પરિવારના પ્રભાબેન મગનભાઈ રાખડીયા, સંજયભાઈ મગનભાઈ રાખડીયા, અશોકભાઈ મગનભાઈ રાખડીયા, મગનભાઈ ટપુભાઈ રાખડીયા તેમજ જામકંડોરણાના મહેશભાઈ ભીખાભાઈ ચુડાસમા, ભુપતભાઈ કાળુભાઈ મહવી કારમાં સવાર હતા તે દરમ્‍યાન જામકંડોરણા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા કારમાં સવાર મગનભાઈ ટપુભાઈ રાખડીયા(ઉ.વ.૨૦ રહે. આણંદપર)નું કમકમાટી ભર્યુ મોત નિપજેલ છે. જયારે બાકીના પાંચ કાર સવાર ઈજાગ્રસ્‍તોને  પ્રથમ જામકંડોરણા સરકારી હોસ્‍પિટલે અને બાદમાં જૂનાગઢ દવાખાને રીફર કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ દવાખાને જતાં રસ્‍તામાં પ્રભાબેન મગનભાઈ રાખડીયા (ઉ.વ.૬૨૨ રહે.આણંદપર)નું પણ મોત થયું હતું.  કાલવડના આણંદપર ગામનો પરિવાર રવિવારે તેમની કાર ઝાડ સાથે અથડાતા આ અંગેની જાણ ખેડુત નેતા અને ઘારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાને થતા જ તેમણે છાત્રાલયનો સ્‍ટાફ એમ્‍બ્‍યુલન્‍સ સાથે રવાના કરેલ અને પોલીસ અને ૧૦૮ને પણ જાણ કરેલ. જમાદાર તોફીકભાઇ સામાજીક અગ્રણી જીતુભાઇ ગોંડલીયા, ભરતભાઇ  ત્રાડા સહીતના સેવાભાવી લોકો સેવામાં જોડાયા હતા. આ બનાવ અંગે જામકંડોરણાના પી.એસ.આઇ. વી.એમ. ડોડીયા તપાસ ચલાવી રહેલ છે.

(11:42 am IST)