Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદર નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા તીન સમુદાય કાર્યક્રમ માટે સંસ્‍થાઓની પસંદગીની કામગીરી

પોરબંદર,તા. ૬ : નેહરૂ યુવા કેન્‍દ્ર દ્વારા તીન સમુદાય કાર્યક્રમ યોજવા માટે સંસ્‍થાઓની પસંદગી કરાશે. તે માટે ઇચ્‍છુક ઉમેદવારો તા. ૧૩ માર્ચ સુધી અરજી કરી  શકશે.

આ અંગે યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય અને તેની સ્‍વાયત સંસ્‍થા નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠાન તા. ૧ એપ્રિલથી તા. ૩૧ મે સુધી દેશભરના અલગ અલગ જિલ્લાઓમાં સમુદાય આધારિત સંસ્‍થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ત્રણ કાર્યક્રમનું આયોજન કરવા માટે તીન સમુદાય આધારિત સંસ્‍થાની પસંદગી કરાશે. રસ ધરાવનાર સંસ્‍થા નેહરૂ યુવા કેન્‍દ્રની ઓફિસ જિલ્લા સેવા સદન -૨ ગ્રાઉન્‍ડ ફલોર ખાતેથી તા. ૧૩ માર્ચ સુધીમાં અરજી ફોર્મ મેળવી અને ફોર્મ ભરી પરત કરી શકશે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્‍સવ હેઠળ દેશ સંસ્‍કૃતિ અને સિધ્‍ધિઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી અને સ્‍મરણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના સ્‍વતંત્રતા દિવસના સંબોધનમાં પણ પંચ પ્રાણના મંત્રની જાહેરાત કરી હતી.

(10:25 am IST)