Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દ્વારકાનાં સનાતન સેવા મંડળની મુલાકાતે પૂ. રમેશભાઇ ઓઝા

દ્વારકા તા.૬ : દ્વારકારના સનાતન સેવા મંડળની મુલાકાતે પ્રખર ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા તા.પ માર્ચના આવ્યા હતા તેઓએ સંસ્થામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃતિ તથા સામાજીક કાર્યોની જાણકારી સંસ્થાના અધ્યક્ષ સ્વામી કેશવાનંદજી પાસે મેળવી હતી અને ધર્મ પ્રત્યેની વર્તમાન વિષયક બાબતો ઉપર વિચાર વિર્મશ કર્યા હતા.

સનાતન સેવા મંડળના સાંસ્કૃતિક હોલમાં શાળા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્ય તથા સ્કુલ લક્ષની અભ્યાસ ગૃહના ખાસ વિષયો ભાગવત ચાર્ય સમક્ષ રજુ કર્યા હતા.

દિવાળી પર્વ પૂર્વ સનાતન સેવા મંડળમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથા પણ યોજાય તેવા સંકેતો મળી રહયા છે.

(11:47 am IST)