Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જુનાગઢઃ ગુરૂકુલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપુજા

જુનાગઢઃ કોલેજ રોડ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ જુનાગઢ-જ્ઞાનબાગ  ગુરૂકુલના સંચાલક શ્રી પુરાણી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણાથી ધુળેટીના પરમ પવિત્ર દિવસે અને જયારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ગુૂરૂકુલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ શાંત ચિતે, ચિંતા રહીત, પ્રફુલ્લીત મને પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે  ગુરૂકુલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ શાંત ચિંતે, ચિંતા રહીત, પ્રફુલ્લીત મને પરીક્ષા આપી શકે અને સારા માર્કસથી પાસ થાય તેવા શુભ હેતુથી સંતો દ્વારા મહાપૂજાનું આયોજન કરશેલ. જેમાંગુરૂકુલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓએ સમુહ મહાપૂજામાં બેસી ભગવાન શ્રી સ્વામીનારાયણને પ્રાર્થના કરેલ. ઉપરાંત ગુરૂકુલમાં બિરાજીત બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજનો ફુલો અને મોતીથી અભિષેક પણ રાખેલ. પૂ. સિધ્ધવલ્લભ સ્વામીએહદયના ભાવથી મહાપુજા કરાવેલ. શાસ્ત્રી શ્રી હરીનારાયણ સ્વામીએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના પાઠવી હતી. (અહેવાલ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:42 am IST)