Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પોરબંદરમાં વલ્લભીય ટ્રસ્‍ટ દ્વારા જરૂરિયાતમંદોને શિયાળામાં ગરમ ધાબળાનું વિતરણ કરાયું

પોરબંદર, તા., ૬ : શિયાળામાં કાકા વલ્લભ ગૃહ વલ્‍લ્‍ભીય ટ્રસ્‍ટ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

પરમ પૂજય ગોસ્‍વામી ૧૦૮ ચંદ્રગોપાલજી મહારાજની આજ્ઞાથી ઉત્‍સવરાયજી મહારાજ અને કાકા વલ્લભજી ગૃહ વલ્લભીય ટ્રસ્‍ટ દ્વારા શિયાળામાં પડી રહેલ કાતીલ ઠંડી સામે રક્ષણ મેળવવા પ્રાગજીબાપા આશ્રમ, અમરજયોત આશ્રમ, જલારામ વાત્‍સલ્‍યધામ તેમજ ઝુંપડપટ્ટી ખાતે રહેતા અને મહેનતકશ તથા કષ્‍ટકારી જીવન નિર્વાહ કરતા લોકોને શિયાળાની પડી રહેલ કાતીલ ઠંડીમાં રક્ષણ આપી શકે તેવા ગરમ ધાબળાનું વિતરણ કાકા વલ્લભ ગૃહ હવેલી વલ્લભીય ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. દિવ્‍યાંગો મનોદિવ્‍યાંગો અને જરૂરિયાત મંદ લોકો પોતાની સમસ્‍યા કોઇને વર્ણવી શકતા હોતા નથી ત્‍યારે ગોસ્‍વામી  ઉત્‍સવરાયજી મહારાજે જરૂરી આજ્ઞાઓ મેળવીને આ સદ્‌કાર્ય મનોરથ ભાવેશભાઇ ચંદારાણા, વિઠ્ઠલભાઇ પાઠક, ધર્મેન્‍દ્રભાઇ ઘેલાણી, અશોકભાઇ પાઠક તેમજ રાજાભાઇ કોડીયાતર અને હર્ષ પુરોહીતના સંપુર્ણ સહયોગથી પુર્ણ કર્યુ હતું. ગ્રીષ્‍મ ઋતુમાં ફળો, શિતઋતુઓમાં ધાબળાઓ અને સમર તથા વર્ષાઋતુઓમાં આવા વિવિધ સદ્‌કાર્ય મનોરથ કરાય છે.

(1:41 pm IST)