Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દ્વારકાના પૌરાણિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે કાલે છપ્પન ભોગ દર્શન મનોરથનું ભવ્ય આયોજન

ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. પ :.. પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે તા. ૭ ને રવિવાર (પોષ વદ-૧૧) ના શુભ દિને છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવના દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કાલે સાંજે પ કલાકે અન્નકુટ ઉત્સવ પ્રસંગે મહાઆરતી યોજાશે. ત્યારબાદ પ થી ૧૦ દરમ્યાન છપ્પન ભોગ મનોરથના દર્શન યોજાશે. સમગ્ર છપ્પન ભોગ મનોરથના દર્શનનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરના પુજારી સંગીતાબેન ધનરાજગીરી ગોસ્વામી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

છપ્પન ભોગ મનોરથમાં કોઇપણ ભકતોને સહયોગ આપવો હોય તો મંદિરના પુજારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:36 am IST)