Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દ્વારકાની વિદ્યા વિહાર હાઈસ્‍કૂલના પૂર્વ પ્રિન્‍સીપાલ મજીઠીયાનું કોરોનામાં મોત

ખંભાળીયા, તા. ૬ :. દ્વારકાની વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રિન્‍સીપાલ તતા વિદ્યા વિહાર શાળાને પરિણામમાં ૧૦૦ ટકા સુધી બોર્ડમાં લઈ જનારા અત્‍યંત પ્રભાવશાળી મિલનસાર વ્‍યકિતત્‍વ ધરાવતા જયેન્‍દ્રભાઈ સી. મજીઠીયા (ઉ.વ. ૬૬)નું ગઈકાલે કોરોના પોઝીટીવ કેસમાં ખંભાળિયાની સરકારી હોસ્‍પીટલમાં મૃત્‍યુ નિપજતા શિક્ષણ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ હતી.સલાયાના વતની સ્‍વ. જયેન્‍દ્ર મજીઠીયાએ અગાઉ લાંબા હાઈસ્‍કૂલમાં પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવી હતી તથા એક સમયના અગ્રણી પ્રિન્‍સીપાલ તરીકે નામનાવાળા જયેન્‍દ્રભાઈ કોરોનાની હડફેટે મૃત્‍યુ પામતા આચાર્ય સંઘ તથા શિક્ષણ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ હતી

(11:29 am IST)