Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મોરબીમાં નાગરિકતા બીલ સમર્થન અંગે આવેદન

મોરબીઃ સમગ્ર દેશમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. આ સમર્પણ અભિયાનમાં માળીયા (મી.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ તેમજ મહામંત્રી હસમુખભાઈ વરસડા દ્વારા માળીયા તાલુકાના પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને પણ આહવાન કરવામાં આવેલ. આ આહવાન અંતર્ગત માળીયા તાલુકાના શિક્ષકો દ્વારા ૧,૫૧,૧૦૦ જેટલી નિધિ એકત્રિત કરી હતી. આ એકત્રિત થયેલ નિધિ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દ્યનશ્યામભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા મહામંત્રી અને માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ અને માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના મહામંત્રી હસમુખભાઈ વરસડા દ્વારા રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મધ્યથ કાર્યાલય મોરબી ખાતે મોરબી જિલ્લા સંદ્યચાલકજી લલિતભાઈ ભાલોડિયા, મોરબી જિલ્લા પ્રચારકજી સંતોષભાઈ દુબે,માળીયા તાલુકા કાર્યવાહ હિતેશભાઈ ગોપાણીની ઉપસ્થિતિમાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ૧,૫૧,૧૦૦ઈં  ડ્રાફ્ટ અર્પણ કરવામાં આવેલ. આ તકે દિનેશભાઇ હૂંબલ અને હસમુખભાઈ વરસડા દ્વારા માળીયા તાલુકાના તમામ શિક્ષકોનો પણ આભાર વ્યકત કરવામાં આવેલ છે. રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કરવામાં આવી તે તસ્વીર.

(10:12 am IST)