Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ભાવનગરમાં ડો. ચેતન મહેતાના મકાનમાં આગઃ ૩ લાખની ઘરવખરી ખાખ

ભાવનગર તા. પ :.. ભાવનગરનાં ફુલવાડી ચોક વિસ્તારમાં તબીબનાં મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી સળગી જવા પામી હતી.

હિલ ડ્રાઇવ ફુલવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ ફલેટનાં ત્રીજા માળે રહેતા ડો. ચેતનભાઇ મહેતા પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તેનાં બંધ ફલેટમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી સળગી જતાં રૂ. ત્રણ લાખનું નુકસાન થવા પામ્યુ હતું. બનાવની જાણ થતા જ ફાયર બ્રીગ્રેડનો સ્ટાફ  દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગનાં  આ બનાવથી લોકોનાં ટોળે - ટોળે ઉમટી પડયા હતાં.

(11:01 am IST)