Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઘરકંકાસના કારણે કોટડાસાંગાણીના માણેકવાડાના દિનેશભાઇ રાઠોડે બસસ્ટેન્ડમાં ઝેરી દવા પી લઇને મોત મીઠું કર્યુ

કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના દલિત દિનેશભાઈ ગોરાભાઈ રાઠોડ (ઉ.વ.૪૧)એ આજે સાંજે રાજગઢ ગામના બસ સ્ટેન્ડમાં ઝેરી દવા પી લેતા પ્રથમ કોટડાસાંગાણી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે ઘર કંકાસના કારણે દિનેશભાઇ રાઠોડે ઝેરી દવા પી લીધાનુ  પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

(7:54 pm IST)