Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરેન્દ્રનગરમાં ૩ મકાનમાં રૂ. ૧૩.પ૮ લાખની ચોરીઃ દિકરાના લગ્ન માટે બનાવેલા ૯ લાખનાં ઘરેણા તસ્કરો ઉઠાવી ગયા

વઢવાણ, તા., ૬: સુરેન્દ્રનગરના છેવાડે આવેલી દેવ સોસાયટીમાં એક જ લાઇનમાં આવેલા ત્રણ મકાનને નિશાન બનાવીને ત્રાટકેલા તસ્કરો કુલ રૂ. ૧૩.ર૮ લાખની મતાનો સફાયો કરી જતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દેવ સોસાયટીમાં રહેતા અને લાદીનો વ્યવસાય કરતા ચંદ્રેશભાઇ વોરા વીજ કંપનીના કર્મચારી એમ.પી.ગઢવી તથા આલાભાઇના બંધમકાનમાં તાળા તોડી તસ્કરો ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

જમાં શાલભાઇના મકાનમાંથી રૂ. ૯ લાખના સોનાના ઘરેણા એમ.પી.ગઢવીના મકાનમાંથી ઘરેણા-લેપટોપ સહીત રૂ. ૩.પ૮ લાખના સામાન લઇ ગયા હતા. જયારે ભંડેરી ભાઇ વોરાના ઘરમાંથી રૂ. ૭૦ હજાર રોકડા તથા ચાંદીની ચોરી થઇ હતી. જેમાં શાલભાઇ અમદાવાદ રહેતા પોતાના દિકરાને મળવા માટે ગયા હતા જયારે એમ.પી.ગઢવી મહેસાણા મરણ પ્રસંગે ખરખરો કરવા ગયા હતા. જયાંથી તેઓ પરત આવી જવાના હતા. પરંતુ રોકાઇ ગયા હતા.

ચંદ્રેશ વોરાની દિકરીના લગ્ન ગામમાં જ કર્યા હતા. ત્યાં ગયા હતા અને ત્યાં રાત રોકાતા ત્રણેયના મકાન બંધ હતા. જેનો લાભ લઇ તસ્કરો કુલ રૂ. ૧૩.ર૮ લાખની મતાનો સફાયો કરી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીએસપી દિપકભાઇ મેઘાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(3:53 pm IST)