Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નલીયા નજીક લકઝરી કાર અથડાતા લગ્ન પ્રસંગે આવેલા અમદાવાદના ક્ષત્રિય મહિલાનું મોત

ભુજ તા.૬: નલિયાના વરાડીયા ગામે લગ્ન પ્રસંગ પતાવીને પરત અમદાવાદ જઇ રહેલા ક્ષત્રિય પરિવારની કાર ખાનગી લકઝરી બસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદ રહેતા ક્ષત્રિય પરિવારના વંદનાબા શકિતસિંહ ઝાલા (ઉ.વ.૪૦)નું મોત નીપજ્યુ હતુ. જયારે પરિવારના અન્ય સદસ્યો મયુરસિંહ રાધુભા પરમાર (ઉ.વ.૩૭), જયરાજસિંહ રાણા (ઉ.વ.૧૨), હીનાબા રાણા (ઉ.વ.૩૬), મનહરબા પરમાર (ઉવ..૬૦) મોનીકાબા પરમારને ઇજાઓ થઇ હતી. તેમને માંડવી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)