Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વાંકાનેર પેલેસ લગ્ન પ્રસંગે શણગારાયો

વાંકાનેરનો વિશ્વ વિખ્યાત મહેલ ભવ્યતાતિભવ્ય કલાનયન આછા ભુખરા-રંગના પથ્થરમાંથી વાંકાનેરના રાજવી અમરસિંહજી ઝાલાએ ૧૦૦ વર્ષ પહેલા ગઢીયા ડુંગર ઉપર બનાવેલ છે જે ગુજરાતની આન...બાન...શાન...છે. તેઓ રણજીત વિલાસ પેલેસ (વાંકાનેર પેલેસ) માં ઘણા વર્ષો અગાવ હિન્દી ફિલ્મ 'પનાહ'નું શુટીંગ થયું હતું. તેના ટાઇટલ અક્ષરો આ ભવ્ય ઝળહળતા પેલેસમાં તે વેળા રોશનીથી શણગારેલ. ત્યાર બાદ વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાએ લગ્ન પ્રસંગે ભાડે આપતા આ પેલેસમાં તા.૬-ર-૧૮ થી તા.૭-ર-૧૮ બે દિવસ લગ્ન માટે વાંકાનેરના ક્ષત્રીય જ્ઞાતિના સુપુત્રના લગ્ન પ્રસંગ માટે અંદાજે ર૦૦ થી વધારે પીળી હેલ્લોજન લાઇટોથી ચોતરફ લાઇટીંગથી શણગારેલ છે તેને નિહાળવા વાંકાનેરની આમ જનતા ઉમટી પડી હતી. (તસ્વીરઃ ભાટી એન.)

(11:38 am IST)