Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગાંધીધામમાં સરાજાહેર હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

ભારત નગરમાં અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સન્નાટો

કચ્છનાં આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં હત્યાનો કરપીણ બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ છે ,

  જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના 9- બી વિસ્તાર ભારત નગરમાં આ બનાવ બન્યો હતો.તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઇ છે એકાએક આવેલા અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિકે સનનાટો છવાઈ ગયો છે

 ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી , હતભાગીના મૃતદેહને પીએમ રિપોર્ટ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ કરાઈ છે

 પ્રાથમિક તબક્કે બહાર આવેલી માહિતી મુજબ સુદર્શન ચૌધરી નામના યુવાનને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હતો , બનાવ અંગે સતાવાર ફરિયાદ નોંધાયા બાદ હત્યા પાછળનું કારણ અને આરોપીઓના નામ જાણવા મળશે જોકે સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ દારૂના ધંધાર્થીઓ વચ્ચે થયેલી અંટશમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હોવાની ચર્ચા છે અલબત આ મુદ્દે તપાસમાં હકીકતો સામે આવશે , હત્યાને અંજામ આપી હત્યારા નાસી છૂટયા હતા જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલિસે હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે

(12:57 am IST)