Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જામનગરમાં જાહેરનામાં ભંગના ગુન્હામાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ર૪ નો નિર્દોષ છૂટકારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬ : જામનગરમાં જાહેરનામા ભંગના ગુન્હામાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિત ર૪ નો નિર્દોષ છુટકારો થયો છે.

આ કેસની વિગત એવી છે કે, જામનગર જિલ્લા શહેર યુવા કોંગ્રેસ દ્વારા તા.૩૧-૮-૨૦૧૨ ના કલાક ૧૨-૩૦  વાગ્યે લાલબંગલા સર્કલમાં ભેગા થઈ ગુજરાત રાજય સરકારના ગળાડુબ ભ્રષ્ટ્રાચારોમાં સૌરાષ્ટ્રમાં ઘાસચારાની ભયંકર  તંગી છે. પશુઓને ખાવા માટે ઘાસ નથી, જનતાને પીવા માટે પાણી નથી આ સરકારની મેલી નીતી છે તાલુકા દીઠ  ઓછામાં ઓછા ચાર ઘાસ ડેપો ખોલવા તથા ગાય માતાના નામે મત મેળવી ગાયોને ભુખે મારવા જેવી નિષ્ફળ કરતુતો ના કારણે હાલની ભાજપ સરકારને એક મીનીટ પણ સતા પર રહેવા અધિકાર નર્થીંઆ સરકારના રાજીનામાની  માંગણી સાથે એકઠા થયેલા યુવા કોંગ્રેસી કાર્યકરો લાલબંગલા સર્કલ થી એક રેલી સ્વરૂપે જામનગર જિલ્લાના મેજીસ્ટ્રેટ  સાહેબની કચેરીએ આવી ત્યાં આવેદનપત્ર આપી એકઠા થયેલા હોય જેથીઆ કાર્યકરો સરકારી મિલ્કતને કોઈ નુકશાન  ન પહોંચાડે કે તોફાન ન કરે કે બીજી કોઈ મિલ્કતને નુકશાન ન કરે તે માટે જામનગર સીટી  એ- ડિવીઝનના પી.આઈ.  વી.જી.રાઠોડ, તેમજ પી.આઈ. જી.એ.સરવૈયા તથા તેમનો જરૂરી સ્ટાફ તથા સીટી  બી-ડિવી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.  એસ.એમ. જોશી તથા તેમનો સ્ટાફ જિલ્લા—એમ.ઓ.બી. શાખાના અતુલભાઈ વિનોદભાઈ ને વિડીયો શુટીંગ સાથે હાજર  રખાવી સવારથી બંદોબસ્તમાં હાજર હતા. તે દરમ્યાન કલાક ૧ વાગ્યે યુવા કોંગ્રેસના આગેવાનો અને તેમાં રાજય મત્રી  ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહિત (૧) પ્રમુખ પ્રધ્યુમતસિંહ મનુભા જાડેજા (૨) પ્રેમજીભાઈ ચકુભાઈ ખેતીયા (૩)  ફુલકાન અલીભાઈ શેખ (૪) મુકેશભાઈ માધવજીભાઈ પરમાર (૫) મારખીભાઈ લાખાભાઈ વસરા (૭) આસીફ  કાદરભાઈ (૭) નરેશભાઈ દેવજીભાઈ જાદવ (૮) હનીફભાઈ હસનભાઈ (૯) ગીરીશભાઈ નાનજીભાઈ (૧૦)ઈમરાનભાઈ  લાખાભાઈ (૧૧) હુશેનભાઈ હારૂનભાઈ (૧૨) ફીરોજભાઈ મુસાભાઈ (૧૩) ધર્મરાજસિહ જયેન્દ્રસિંહ (૧૪) મહીપાલસિંહ અશોક સિંહ (૧૫) ગીરીશ રતીલાલ (૧૨) મોહસીન કાદરભાઈ (૧૭) જયેશ પ્રેમજીભાઇ (૧૮) ઇલેશ સુરેશભાઇ  (૧૯) સુરેશભાઈ કરસનભાઈ (૨૦) ભરત કાળુભાઈ (૨૧) યોગરાજસિંહ (૨૨) પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ  (૨૩) ચંદ્રસિંહ ભુપતસિંહ (૨૪) હાસીફભાઈ કાદરભાઈ. આ બધા માણસો ગેરકાયદેસર ટોળા સ્વરૂપે ભેગા થઈ જામનગર  કલેકટર કચેરી સામે આવેલ ચોગાનમાં આવી ત્યાં એક સાથે ગુજરાત સરકાર વિરૂધ્ધ અને ત્યાં હલ્લો કરવા લાગતા  તેઓ પાસે સરઘસ કાઢવાની પરવાનગી માંગતા પરવાનગી નહીં હોવાનું જણાવતા ઉપરોકત તમામ વ્યકિતઓની  ધરપડક કરી અને તેઓને જામનગર સીટી એ- ડિ.વી. પો.સ્ટે,માં લઈ ગયેલ અને ત્યાં સીટી બી-ડીેવી.ના પી.આઈ.  વી.જી.રાઠોડે તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૧૮૮ તથા ગેરકાયદેસર મંડળીની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮,  ૧૪૯ મુજબ ગુનો નોંધેલ. અને આ તમામ આરોપીઓની ઘરપકડ કરેલ. અને તપાસ કરી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ  ચાર્જશીટ કરેલ.

આ કેસ જામનગરની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સોનીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓ  વિરૂધ્ધ ગુનોના સાબીત માની અને જાહેરનામાના ભંગ બદલ તથા ગેરકાયદેસર મંડળી રચવા સબબના ગુનામાં નિર્દોષ  ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.   

આ કેસમાં ધર્મેન્દ્રસિંહ (હકુજા) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ. અનડકટ, કેતન  આશર, રાજેશ એમ. અનડકટ, જયેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા (ભાતેલ),આનંદ ગોહીલ, હેત એમ. અનડકટ,  રોકાયેલ હતા.

(12:51 pm IST)