Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતનમાં ‘‘પૂ.ભાઇશ્રી''ની અધ્‍યક્ષતામાં ગીતા જયંતિની ઉજવણી

જૂનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીમદ્દગવદ્દગીતા જયંતિ નિમિત્તે પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પ્રતિવર્ષાનુસાર આ વર્ષે પણ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્દગવદ્દગીતાનું પારાયણ કરવામાં આવ્‍યુ હતું. સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિ મંદિરમાં સવારે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્દગવદ્દગીતા  ગ્રંથનું વિધિવત્‌ પૂજન કરવામાં આવ્‍યું અને ત્‍યારબાદ ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્દગવદ્દગીતા  અને વિષ્‍ણુ સહસ્રનામનો સંગીતમય પાઠ કરવામાં આવ્‍યો હતો. અંતમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન અને શ્રીમદ્દગવદ્દગીતા  ગ્રંથની આરતી કરવામાં આવી અને સંકીર્તન કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)

(1:42 pm IST)