Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભાણવડના નવાગામ પાસે શ્વાન દ્વારા ઘાયલ નીલગાયને બચાવાઇ

ખંભાળિયા : ભાણવડના નવાગામ પાસે એક નીલગાય પર કેટલાક કૂતરાઓએ હુમલો કરીને તેને ઇજા કરી ઘાયલ કરી હતી. નજીકના ખેતરવાળાએ ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરી હતી. ગ્રુપના અશોકભાઇ ભટ્ટ, હરીશભાઇ વાઘેલાએ વન વિભાગના કર્મચારીઓ સાથે પહોંચીને ઇજાગ્રસ્‍ત નીલગાયને પ્રાથમિક સારવાર આપીને બરડા સ્‍થિત એનીમલ હેલ્‍થ સેન્‍ટરમાં પહોંચાડીને નીલગાયને જીવતદાન આપ્‍યું હતું. આ રેસ્‍કયુ ઓપરેશનમાં સ્‍થાનિકો પણ મદદમાં જોડાયા હતા.

(1:41 pm IST)