Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સુપેડીના પ્રફુલભાઇ ડઢાણીયાનું અવસાન થતાં ચક્ષુદાન કરાયું

ધોરાજી તા. ૪ : સુપેડીના ખેડુત પ્રફુલભાઇ દામજીભાઇ ડઢાણીયાનું અવસાન થતાં ડઢાણીયા પરીવારના આગેવાનો દ્વારા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરતા સરકારી હોસ્પીટલના અધીક્ષક ડો.જયેશ વેસેટીયન અને ડો. રાજ બેરા તેમજ મેડીકલ ટીમના નીતીન સાગઠીયા,  રોહીત સોંદરવા અને વિજય ભાષ્કર દ્વારા સ્વ.ના ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓને સોંપાતા ચક્ષુઓને રાજકોટ જી.ટી. શેઠ સરકારી હોસ્પીટલ ખાતે મોકલાયા હતા. આ તકે પ્રવીણભાઇ ડઢાણીયા, ભાવેશ ડઢાણીયા, હરેશભાઇ ભાલોડીયા, સંજયભાઇ ગોવાણી, ચીરાગભાઇ ઘેટીયા, કિરીટભાઇ વડાળીયા, ભરતભાઇ ડઢાણીયા, જતીનભાઇ ઘેટીયા, ભરતભાઇ ભાલોડીયા, રોકડભાઇ તેમજ એએસઆઇ ભીમજીભાઇ ગંભીર સહીતના હાજર રહેલ. ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ડઢાણીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. પ્રફુલભાઇને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. આ સાથે માનવ સેવા યુવક મંડળને ૮૩મું ચક્ષુદાન મળેલ છે.(

(11:57 am IST)