Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભાવનગર : સત્સંગ નીરંતર થતો હોય એ ગૃહસ્થાશ્રમ ધન્ય : મગનભાઇ રાજયગુરૃ

જામખંભાળીયામાં બ્રહ્મસમાજના લગ્ન

ભાવનગર તા. ૪ : ચકલા - ચકલી જેવા પતિ-પત્નીને સંસારમાં પ્રેરણા આપજો. આ વિધાનો જામખંભાળીયા ખાતે બ્રહ્મસમાજના વિવાહ સંસ્કાર પ્રસંગે મોટીભાણ ખોખરીના ભાગવત પ્રવકતા મગનભાઇ વી. રાજયગુરૃએ ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું કે દાન આપનારની દશ પાછળની દશ આગળની અને એક પોતે એમ ૨૧ પેઢીઓનો ઉધ્ધાર કન્યાદાનથી થાય છે. તેમણે નવદંપતીઓેને કૃપાળુ આત્મૃમર્પણ, મહત્વાકાંક્ષા, સન્માન, આવકાર, ગાઢ ઐકય, વિશ્વાસ, આનંદ, શાશ્વતતા તેમજ શિવાજીના સદ્દગુરૃ રામદાસ સ્વામીના પ્રસંગો આગવી સરળ શૈલીમાં વર્ણવ્યા હતા. નંદહરી સેવા ટ્રસ્ટના હેમંતભાઇ, જગદીશભાઇ તેમજ લાલજીભાઇ અરંભડીયાએ કન્યાદાન કર્યુ હતું. આ પ્રસંગે નારણજીભાઇ એચ ભોગવતા લંડનના નરસિંહભાઇ રાજયગુરૃ હાજર રહેલ.

(12:41 pm IST)