Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

૭૫ અમૃત મહોત્‍સવ અંતર્ગત લોધીકાના કોઠા પીપળીયા ગામે યોજાયો અમૃત સભા મહોત્‍સવ : પ્રેરક પ્રવચન

 લોધીકા ; ૨ .લોધીકા તાલૂકા ના કોઠા પીપળીયા ગામે શ્રી સહજાનંદ સંસ્‍કારધામ મહામંત્ર પીઠ ફરેણી દ્વારા આયોજિત  સ્‍વામિનારાયણ સંતો દ્વારા રાજકોટ જિલ્લા શિવસેનાના ગૌરવ હંસોરા અને શ્રી શૈલેષભાઈ હરીભાઈ હંસોરા ના ઘરે અમૃત સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોઠા પીપળીયા ગામના હરિભક્‍તો સભામાં ઉપદેશ સાંભળવા માટે એક અનેરો લાભ લીધો હતો જેમાં ફરેણી  ધામના પૂર્વ કોઠારી સ્‍વામી શ્રી ચતુર્ભુજ સ્‍વામી અને પૂજારી સ્‍વામી શ્રી હરિ ચરણ સ્‍વામી અને નિલકંઠ ભગત પ્રવચન આપી તેમાં વ્‍યસન મુક્‍તિ જીવન જીવવાની એક રીત (કળા) અને બાળકો સાથે બાળ સભા નું એક સુંદર રીતે આયોજન કરેલું હતું  હરિભક્‍તોને -વચન સંભળાવી સૌ હરી ભક્‍તો માં એક અનેરોઆનંદ છવાઈ ગયો હતો જેમાં કોઠા પીપળીયા ના લુહાર સમાજના અશોકભાઈ. ધર્મેન્‍દ્રભાઈ .ચિરાગભાઈ. જયદીપભાઈ યશ આગેવાનો તેમજ સામાજિક કાર્યકર મહેશભાઈ ઘાડીયા રવિભાઈઘાડીયા વિનુભાઈ ઘિયાળ રાજકોટ જિલ્લા ડિસ્‍ટ્રીક બેંક અને લોધીકા શાખાના દિપકભાઈ કોટડીયા . અને કોઠા પીપળીયા ના અનેક નાના-મોટા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં લુહાર સમાજના યુવા અગ્રણી અને રાજકોટ જિલ્લા શિવસેનાના ગૌરવ હંસોરા ને ફરેણી ધામના પૂર્વ કોઠારી સ્‍વામી શ્રી ચતુર્ભુજ સ્‍વામી દ્વારા ફૂલનો હાર પહેરાવી સન્‍માન કરી  અને ગરીબ લોકોની વચ્‍ચે રહી સૌ લોકો ની સેવા કરો આવનારા જીવન માં ખુબ આગળ વધો એવા   આશિર્વાદ પાઠવીયા હતા.

(12:31 pm IST)