Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રંગપર પાસે ગુરૂદત ગૌશાળામાં ૭મીઍ દતાત્રેય જયંતી ઉજવાશે

રાજકોટ,તા. ૧ : શ્રી ગુરુ દતાત્રેય ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત અને મહંત શ્રી અમૃતગીરીબાપુ (ગિરનાર) સંચાલિત જય ગુરુદત ગૌશાળા અને અન્‍નક્ષેત્રમાં તા. ૭ બુધવારે શ્રી દતાત્રેય જયંતી ઉજવાશે.

તે દિવસે સવારે ૭ થી ૯:૩૦ વાગ્‍યા સુધી યજ્ઞ, ૯:૩૦ વાગ્‍યે પાદુકા પૂજન અને બપોરે બટુક ભોજન તથા ભાવિકો માટે મહાપ્રસાદ રાખેલ છે. આ ગૌશાળા જામનગર રોડ પર રંગપરના પાટિયા પાસે ન્‍યારી-૨ ડેમના કિનારે આવેલ છે. જ્‍યાં દર રવિવારે સાંજે બટુક ભોજન રાખવામાં આવે છે. નવરાત્રિમાં આસપાસના ગામોની ગરબીની બાળાઓને જમાડી લાણી આપવામાં આવે છે. વધુ માહિતી માટે મો. ૭૬૨૪૦ ૭૦૯૯૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(12:41 pm IST)