Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જામકંડોરણામાં અન્‍નપૂર્ણા વ્રતની ઉજવણી

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૫: બ્રાહ્મણ શેરીમાં આવેલ શ્રી અન્‍નપૂર્ણા માતાજીના મંદિરે ૨૧ દિવસ ચાલનારા શ્રી અન્‍નપૂર્ણા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ભાવિકો દરરોજ માતાજીના અલગ અલગ શ્રૃંગારના દર્શન તેમજ આરતીનો લ્‍હાવો લઇ માતાજીની આરાધના કરી રહ્યા છે. આ અન્‍નપૂર્ણા વ્રતની ઉજવણી નિમિતે ગ્રામજનોને માતાજીના દર્શનનો લાભ લેવા મંદિરના મહંતશ્રી નિલેશગીરી તેમજ રાજેશગીરીએ જણાવેલ છે.

(10:15 am IST)