Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વાંકાનેર પાંજરાપોળ-ગૌશાળાના સુકા જથ્થામાં આગથી નુકશાન

વાંકાનેર, તા., પઃ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા  દિવાનપરા વાંકાનેર જિ.મોરબી ખાતે સંસ્થાના સુકા ઘાસચારાના સંગ્રહમાં અચાનક ઇલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણોસર આગ લાગેલ હતી. અચાનક સુકા ઘાસચારામાં આગ લાગી હોવાથી થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ ત્યારે સંસ્થાના કર્મચારીઓ સેવાભાવી નાગરીકો દ્વારા પ્રાથમીક તબક્કે આગ ઓલવવાની કામગીરી કરી હતી.

આ ઘટનાની જાણ વાંકાનેર નગર પાલીકાને કરવામાં આવતા તાત્કાલીક ધોરણે ફાયર ફાયટર સ્થળ પર આવીને આગ ઓલવવાની કામગીરી કરતા આગ પર કાબુ મેળવેલ છે.

આ આગજનીની ઘટનાથી સંસ્થાના કોઇ પશુધનને કાંઇ થયેલ નથી પરંતુ સુકાઘાસનો મોટો જથ્થો બળી જવાને કારણે અંદાજીત પ૦,૦૦૦ની નુકશાની થયેલ છે.

(11:49 am IST)