Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મેંદરડામાં વિહિપ દ્વારા ધર્મસભા

 મેંદરડા : સ્વામીનારાયણ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ અન્વયે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધર્મસભામાં તાલુકાભરમાંથી ધર્મપ્રેમી ભાઇઓ ઉપસ્થિત રહ્યા. મુખ્ય વકતા શ્રી અમિતભાઇ વ્યાસે શ્રી રામજન્મભૂમિનો સંપુર્ણ ઇતિહાસથી સભાને વાકેફ કરેલ. જીલ્લા કાર્યવાહ દિપકભાઇ ઢેબરીયા, તાલુકા કાર્યવાહ કેતનભાઇ ગાજીપરા, વિશ્વ હિન્દુ પરિષદના શ્રવણભાઇ ખેવલાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મનોજભાઇ દુધાત્રા ઉપરાંત પ્રવિણભાઇ ભટ્ટ તથા સરપંચશ્રી દિનેશભાઇ વેકરીયાએ હાજરી હતી. ધર્મસભા યોજાઇ તે તસ્વીર.

(12:12 pm IST)