Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વેરાવળનાં કીદરવામાં યુવતિ ઉપર દુષ્કર્મ આચરીને લગ્ન કરીને છૂટાછેડા આપી દેતા ફરિયાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: કીદરવા ગામની યુવતી નારણ મસરી ચાવડાની વાડીએ મજુરી કામે જતી હતી ત્યારે તેને નાળીયેરીના બગીચામાં પાંચ થી સાત વખત દુષ્કર્મ આચરેલ હતું.

ત્યારબાદ રાજકોટ લઈ જઈ કાગળોમાં  સહી કરાવી લીધેલ હતી અને લગ્ન કરી લીધેલ હતા અને રાજકોટથી ઉદયપુર નજીક એક ગામડામાં મકાન ભાડે રાખી ર૦ થી રપ દિવસ રોકાયા હતા ત્યાં પણ દુષ્કર્મ આચરેલ હતું તેને ત્યારબાદ જુનાગઢ લાવેલ વકીલ પાસે જઈ છુટાછેડાના કાગળીયામાં સહી કરાવેલ હતી તા.ર૦ ઓકટોમ્બર ના રોજ સોમનાથ રામ મંદિર પાસે ઉતારીને જતા રહયા હતા તેથી આ યુવતી એ પોલીસ માં ગયેલ હોય અને તેને નારણમસરી ચાવડા સામે દુષ્કર્મ ની ફરીયાદ નોધાવેલ હતી અને તેના સાગરીતો અરજણ મસરી ચાવડા, કલ્પેશ નાથા ચાવડા, બાબુભાઈ રામભાઈ ચાવડા, વિજયભાઈ કાળાભાઈ ઝાલા, લાખાભાઈ વિરાભાઈ ખેર સામે ધાકધમકી અને શારીરીક અડપલા કર્યાના ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:57 pm IST)