Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જૂનાગઢ રેંજના ડીઆઇજીનો ચાર્જ સંભાળતા મનીન્દર પ્રતાપસિંઘ

જૂનાગઢ તા.૫: જૂનાગઢ રેંજના ડીઆઇજીનો ચાર્જ આજે બપોરે સંભાળી આઇપીએસ મનીન્દર પ્રતાપસિંઘે નવી ફરજના શ્રીગણેશ કર્યા છે.

તાજેતરમાં રાજયના ગૃહ વિભાગના એડીશ્યનલ સેક્રેટરી નિખીલ ભટ્ટ દ્વારા રાજ્યપાલશ્રીના આદેશ મુજબ આઇપીએસ અધિકારીઓની બદલીનું ઓર્ડર જારી કર્યો હતો.

જેમાં જૂનાગઢ રેંજના આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની બદલી કરી તેઓને બોર્ડર રેંજ ભૂજ ખાતે મુકવામાં આવેલ. અને તેઓની જગ્યાએ ૨૦૦૫ની આઇપીએસ બેંચના શ્રી મનીન્દર પ્રતાપસિંઘને ગાંધીનગર ખાતેથી મુકવામાં આવેલ.

દરમ્યાનમાં આજે બપોરે શ્રી મનીન્દર પ્રતાપસિંઘે જૂનાગઢ રેંજના ડીઆઇજીનો ચાર્જ સંભાળી નવી ફરજના શ્રીગણેશ કર્યા હતા. આ તકે પોલીસ અધિકારીઓ વગેરેએ ડીઆઇજીશ્રી મનીન્દર પ્રતાપસિંઘને આવકાર્યા હતા.

(1:07 pm IST)